“સાદુ જીવન અને ઉચ્ચ વિચાર”
– સ્વામી વિવેકાનંદ
સ્થાપક અધ્યક્ષ – પ્રમુખ સોમનાથ કેળવણી મંડળ
શિક્ષણ, સેવા, સમાજ અને સદ્કર્મના માર્ગ પર અવિરત ચાલનાર એવા મોગર ઠાકોર સાહેબશ્રી નટવરસિંહજી સોલંકી નો જન્મ 13 જાન્યુઆરી, 1915ના રોજ મોસાળ, તાલુકા લખતર, જીલ્લો સુરેન્દ્રનગરના ઝમ્મર ગામમાં થયો હતો. પિતાશ્રી સ્વ. ઠા.સા. કેસરીસિંહજી ગુમનસિંહજી સોલંકી અને માતાશ્રી હીરાબા બાસાહેબના આ સુપુત્રે બાળપણથી જ શિક્ષણ અને સંસ્કારનો સંયમ મેળવ્યો હતો.
બાપુજી એ “સાદુ જીવન અને ઉચ્ચ વિચાર”ના મંત્રને જીવનભર અનુસર્યો. સમાજમાં એકતા, સેવા અને શિક્ષણના ક્ષેત્રે તેમણે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. “Unity is Strength” – “એકતા એ જ શક્તિ છે” એ સિદ્ધાંતને જીવનમાં ઉતારી, તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને જાગૃત, સંગઠિત અને સ્વાવલંબનના માર્ગે દોરી ગયા.
1947માં તેમણે “રાજપૂત સમાજ” નામે પત્રિકા શરૂ કરી, જે પછી “ક્ષત્રિય દર્પણ” તરીકે પ્રકાશિત થતું રહ્યું.શિક્ષણને જીવનનો આધાર માની તેમણે સોમનાથ કેળવણીમંડળની સ્થાપના કરી, જેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રકાશથી ઉજ્જવળ ભવિષ્ય મળ્યું.
બાપુજીના પ્રેરણાથી સોમનાથ કેળવણી મંડળની સ્થાપના 1974માં થઈ. આજે આ મંડળે અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરી છે, જે હજારો વિદ્યાર્થીઓને પ્રકાશ તરફ દોરી રહી છે.
2004ની 13 એપ્રિલે બાપુજી એ 90 વર્ષની અવિસ્મરણીય જીવનયાત્રા પૂર્ણ કરી પરમધામ પામ્યા. પરંતુ તેમનો સંદેશ, તેમનો આત્મા અને તેમનો કાર્યોત્સાહ આજે પણ જીવંત છે.
તેમનું જીવન “Simple Living and High Thinking” નું જીવંત ઉદાહરણ હતું. અહિંસા, સ્ત્રીશિક્ષણ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રપ્રેમના તેમણે જે સંદેશો આપ્યા, તે આજના યુગમાં પણ પ્રેરણારૂપ છે.
સોમનાથ કેળવણી મંડળે તેની 25મી વર્ષગાંઠ (રજત જયંતી) પ્રસંગે અનેક કાર્યક્રમો યોજ્યા – રમતોત્સવ, આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટાફનો સામૂહિક સમારોહ.
આજે પણ મંડળની યાત્રા વણથંભી છે. અદ્યતન સુવિધાઓ, નવી શૈક્ષણિક ઇમારતો અને ટેક્નોલોજીના સાધનો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. બાપુજીના સ્વપ્નને સાકાર બનાવવા આપ સૌનો સહકાર અને આશીર્વાદ એ જ આપણી સૌથી મોટી શક્તિ છે.
ઘરના પોર:
સ્વ. શ્રી ઠાકોરસાહેબ નટવરસિંહજી સોલંકી
પ્રમુખ, સોમનાથ કેળવણી મંડળ, નડીઆદ
A legacy-driven educational trust inspired by the noble vision
Copyright © 2026 SKM | Designed By SEOWebPlanet Solutions